Wednesday, 22 August 2012

!! વૃધત્વ નાં વધામણા રે !! PART : 1

ઈશ્વરની બક્ષિસ એવું આ ઠરેલ ઘડપણ આવ્યું રે, 
જિંદગીને માણવાની કળા હૃદયમાં સમજાય કે.. 


ઘડપણ એટલે “ઈશ્વર લાગણીમાં સંચરી રહ્યો રે, 
આ ઘડપણ આવ્યું ને અળખામના સૌના થયા રે.!!

જોબનીયાને સુવિદાય આપી, 
આગંતુક વૃધત્વ ને આમાન્યા જાતે જ આપજોરે, 
પાનખરના વધામણા ને આવકારતા, 
અંતરિયાનો પોકાર નિસાસો નાખતો રે,




નવી ઘડપણ ની ઉષાને પ્રેમ વટ ખમીર થી
બાપલીયા વધાવજો રે, 
આ સંસારમાં સાર નથી જાણી લેજો સૌ, 
દલડા દુખાય કોને જઈ ને કહીયે રે.!!


પત્થર એટલા દેવ પૂજી, બાધા આખડીઓ થી
મેળવ્યા, પેટ ના જણ્યા રે, 
હવે આ પેટ જણ્યા ને જ સમય નથી મુજ માટે,
આ તે કળિયુગી કેવા વાયરા રે,


પ્રભુ ! તારી કેવી લીલા બલિહારી રે,
કે આ કળિયુગી વાયરા વાગ્યા મુજ રૂદિયે રે,
દગો દીધો માયાજાળની મહોબ્બતે અને
ફસાવ્યો મુજ ને માયાવી મમતા એ રે.!! 

તા. 3/૮/૨૦૧૨                     નલિની સિંહ " નીશી "
— 

No comments:

Post a Comment