ઈશ્વરની બક્ષિસ એવું આ ઠરેલ ઘડપણ આવ્યું રે,
જિંદગીને માણવાની કળા હૃદયમાં સમજાય કે..
ઘડપણ એટલે “ઈશ્વર લાગણીમાં સંચરી રહ્યો રે,
આ ઘડપણ આવ્યું ને અળખામના સૌના થયા રે.!!
જોબનીયાને સુવિદાય આપી,
આગંતુક વૃધત્વ ને આમાન્યા જાતે જ આપજોરે,
પાનખરના વધામણા ને આવકારતા,
અંતરિયાનો પોકાર નિસાસો નાખતો રે,
નવી ઘડપણ ની ઉષાને પ્રેમ વટ ખમીર થી
બાપલીયા વધાવજો રે,
આ સંસારમાં સાર નથી જાણી લેજો સૌ,
દલડા દુખાય કોને જઈ ને કહીયે રે.!!
પત્થર એટલા દેવ પૂજી, બાધા આખડીઓ થી
મેળવ્યા, પેટ ના જણ્યા રે,
હવે આ પેટ જણ્યા ને જ સમય નથી મુજ માટે,
આ તે કળિયુગી કેવા વાયરા રે,
પ્રભુ ! તારી કેવી લીલા બલિહારી રે,
કે આ કળિયુગી વાયરા વાગ્યા મુજ રૂદિયે રે,
દગો દીધો માયાજાળની મહોબ્બતે અને
ફસાવ્યો મુજ ને માયાવી મમતા એ રે.!!
તા. 3/૮/૨૦૧૨ નલિની સિંહ " નીશી "
—

No comments:
Post a Comment