સનમ હૃદય નાં દ્વાર ના ખોલે ,
તો હિંમત નાં હાર કાઈ વાંધો નહી.
સનમ હૃદય નાં દ્વાર ના ખોલે તો,
ખખડાવવાની ક્યા જરૂર છે ?
સનમ હૃદય નાં દ્વાર ના ખોલે તો,
તેની રાહ જોવાની ક્યાં જરૂર છે ?
સનમ ને તારા પર પ્રેમ ઉભરાય,
ત્યાં સુધી રાહ જોવાની ક્યાં જરૂર છે ?
સંતાઈને કે ડરી ડરી ને પ્રેમ કરવા કરતા,
સાચુકલો પ્રેમ,વફા,વિશ્વાસ ને સમર્પણ સજોડે લઇ ને.
એક વાર જાલિમ સનમ ના હૃદય સુધી પહોચી તો જા ,
તેના હૃદયના ધબકારા અને શ્વાસોચ્શ્વાસ પર,
કબજો જમાવી દે...દિલ માં જઈ ને બેસી જા.
જો જાલિમ સનમ નાં હૃદયે હામ હશે,
તો તને જાકારો દઈને તો જુએ !
નલિની સિંહ “નીશી”

No comments:
Post a Comment