જન્મ ધરીને જદુપતિના, રૂપ મારે ઝંખવું, લાલરંગી લાલીમાં, ને વૈજંતિ માળા કંઠમાં, શરદ ચન્દ્ર છે આભમાં, ને રાસલીલા સાથમાં, ગોપી ભાવે પૂજીએ તો સ્થાન પામે રાસમાં,
શ્રવણ, કિર્તન, આત્મભાવે ને વળી નિવેદનમ, સાખ્ય, દાસ્ય, અર્ચના ને પાદ સેવન પામવું, નવધિ રૂપે ભક્તિ કમળે, કરકમળને પામવું, હું રહું ને તું રહે ન અન્ય કોઈ ને આવવું.
નિશી ! આપની કવિતા વાંચી ભગવાન શ્રી શ્યામ સ્વજનની યાદ આવીગાઇ
ReplyDeleteમથુરામાં ભલે રહે કાન, ગોપી દિલ નવ બાળે,
પોથી પંડિત, વાત નવ પરખે, કાળે અકાળે.
આ જ્ઞાનીની ગડમથલ, તે બ્રહ્મને ભલે ખંખોળે,
આભલાંમાં આ,ભોળી ભરવાડણ,જાદવાને ભાળે.
This comment has been removed by the author.
ReplyDeleteMy blog http://ardhamatra.wordpress.com/
Deleteનિશી ! નવધા ગીત (હરિગીત છંદ ) કોમેન્ટ માં મોકલું છું
ReplyDeleteશું પૂર્ણતામાં પામવું ? શું પૂર્ણ થઇને વિચરવું ?
શુન્ય થઇ ને શ્યામ સુંદરમાં જ મારે સમાવવું.
નિરંજનના નવ નિરખતાં, ચિત્રમાં શું નિરખવું ?
દ્વૈત ભાવે રાસ રચતા, વર રમાને રમાડવું.
શુક શાસ્ત્રના શુકદેવજીને, શ્યામ સુંદર લાગતું,
નિ:શુલ્ક દાસીકા બનીને, પાદ સેવન પામવું
શું નિરખવું નિરકારે ? નૃત્ય નમણું નટવરું,
જમનાજીના જળ ભરીને, જળકમળમાં ઝંખવું.
જન્મ ધરીને જદુપતિના, રૂપ મારે ઝંખવું,
લાલરંગી લાલીમાં, ને વૈજંતિ માળા કંઠમાં,
શરદ ચન્દ્ર છે આભમાં, ને રાસલીલા સાથમાં,
ગોપી ભાવે પૂજીએ તો સ્થાન પામે રાસમાં,
શ્રવણ, કિર્તન, આત્મભાવે ને વળી નિવેદનમ,
સાખ્ય, દાસ્ય, અર્ચના ને પાદ સેવન પામવું,
નવધિ રૂપે ભક્તિ કમળે, કરકમળને પામવું,
હું રહું ને તું રહે ન અન્ય કોઈ ને આવવું.